શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

મીંચાય નહીં જે નયન..



મીંચાય નહીં જે નયન એ એક દિવસ મીંચાઇ જશે,
હંમેશ રહેતી કોઇની કોરી પાંપણ ભીંજાઇ જશે;
આ ઢોંગી જમાનો મને ભાસ કરાવે છે એવો,
દ્રષ્ટિની સકલ સૃષ્ટિ વિંખાઇ જશે, પીંખાઇ જશે;
જોવા ચાહો જો દૂનિયામાં તો ઘણું જોવાઇ જશે,
નહીં તો સાંજ-સવારમાં જ નજર અટવાઈ જશે;
એય દિલ અગરતું દૂનિયાના દુખ-દર્દ થકી ટેવાઇ જશે,
તો દુખનું તને દુખ નહી લાગે, દર્દમાંય સદા મલકાઇ જશે;
હે દર્દ વ્યથા આવ્યા છો તો જીવનમાં સાથીદાર બનો,
હું લાડ એવા લડાવીશ કે ઉત્પાદક પણ અક્ળાઇ જશે;
એ ગયા દિવસ-મહિના-વરસ, સ્વપ્ન સુખના જોતો હતો,
આજ નામ ખુશીનુ સુણી 'બીરજુ' તો હવે અકળાઇ જશે,


આ વાત છુપી આ દર્દ છુપું ને હાસ્ય સમજાય તો શું?
જો આપનું સાચુ સ્મિત મળે તો જીવન પલટાઈ જશે,
એકેક કળી મારા ઉરની મલ્કાઇ જશે, હરખાઇ જશે;
જો ગીત મધૂરાં છેડો તો મદમસ્ત હવા લહેરાઇ જશે,
ને ઝુલ્ફ વીખેરી બેઠાં તો ઘનઘોર ઘટા પથરાઇ જશે;
આ મારા ખ્યાલો કાવ્ય બનીને ઘર-ઘરમાં વેચાઇ જશે,
અદ્ર્શ્ય જગે જન્મેલ ઝરણું સાગરરૂપે પથરાઇ જશે;
નયનોની પરિભાષામાં તમે સમજો તો બધુ સમજાઇ જશે;
આ આર્ત હ્ર્દયની વાતો છે'બીરજુ' ભુલથી પણ ચર્ચાઇ જશે,
જો તમે હોઠ્ને સીવી લેશો તો આંખથી ઉચ્ચારાઇ જશે;
-ભીખુભાઇ સાબલપરા 'બીરજુ'

મારા પપ્પાનુ ભણતર સાત ચોપડી, વાંચનમાં ગામની લાઇબ્રેરીનુ દરેક પુસ્તક.દરેક પુત્રને  જેમ લાગે તેમ તે મારા હીરો છે..તેમને લખવાનો શોખ ઘણો એટલે વીચારોને કાગળ પર ટપકાવ્યા કરે. તેમની જ એક નોંધમાથી આ મળી આવ્યું. નથી આ ગઝલ કે છંદોબધ્ધ રચના પણ વીચારો નો આલાપ છે. મને થયુ કે મિત્રો સાથે માણવા જેવુ ખરું...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો