મંગળવાર, 2 ઑગસ્ટ, 2011

તમને શું લાગે છે



તમને શું લાગે છે? પત્રકારત્વ ફકત ટીવી સ્ટૂડીયોમા બેસીને જ થઇ શકે, ના ફીલ્ડમાં જઇને
પણ પત્રકારત્વ થઇ શકે છે. જેવી રીતે કે અમારા કિશોરને જ દાખલા તરીકે લો. જેવી ખબર મળી કે કલમાડીજી ને ડિમેંસિયા(ભુલવાની બીમરી) થઇ છે કિશોરને પેટમા ઉથલપાથલ શરુ થઇ! ન એમ નહી એને કોઇ કબજીયાત કે દુખાવાની ફરિયાદ નથી. પણ કિશોરને બેચેની ઘેરી વળી. તેણે મનમા ગાંઠ વાળી લીધી કે કેમેય કરીને સુરેશ કલમાડીજીનો ઇન્ટર્વ્યુ લઇ ને રહીશ. હું પોતે વળી તેને સલાહ આપવા લાગ્યોઃ " એ તો જેલમાં છે, ત્યાં ઇન્ટર્વ્યુ નહી લેવા મળે".
કિશોર બોલ્યોઃ "જેલમાં ખંડણીનો ધંધો થઇ શકે, જેલમાં બેઠા-બેઠા ચૂંટણી લડી શકાય, કલમાડીજી જેલમાં રહીને પોતાના એમ.પી. ફંડમાંથી ચેક સાઇન કરી ને આપી શકે તો પછી ઇન્ટર્વ્યુ કેમ ન લઇ શકાય.
મેં કહ્યું ઃ" મરી તો ત્યાં કોઇ લાગવગ નથી કે હું તને ત્યાં કંઇ મદદ કરી શકું, તારી પોતાની ઓળખાણ હોય તો લઇ આવ." થોડી વાર વીચારીને કિશોર મલક્યોઃ "એક વાર તિહારના એક હવલદારની મદદથી એક સ્વામીજીનો ઇન્ટર્વ્યુ લીધો હતો. લાગે છે તે જ આજે કામ લાગશે."
આટલું બોલીને કિશોરે તો ચાલતી પકડી.(ના યાર! એવુ નહી વીચારો કે તેણે કોઇ યુવતીને પકડી...આ એક અત્યારની ગુજરાતી ભાષાનો નવો શબ્દપ્રયોગ છે.) બે દિવસ પછી એટલે કે અલે રાતે પછો મને મળવા માટે આવ્યો તો હાથમાં કલમાડીજીનો ઇન્ટર્વ્યુ હતો. વિજયી અદામા મને કહે" કાલે જ બ્લૉગ પર પૉસ્ટ કરી દો નહીં તો કોઇ ન્યુઝ ચેનલ આને જ એક્ષ્ક્લુઝીવ કહીને દેખાડવા માંડશે"
તો આ રહયો કિશોર કલમદાર દ્વારા લેવાયેલો કલમાડીજી નો ઇન્ટર્વ્યુ..તમે બધા વાંચો અને કિશોરનુ પત્રકારત્વ કંઇ ક્રાંતિ લાવી શકે તેમ છે કે નહી તે જણાવજો. ઑફકોર્સ ટીપ્પણીઓ દ્વારા....
કિશોરઃ કલમાડીજી, હમણા આપના વકીલ દ્વારા પ્રજાજોગ સંદેશમા સાંભળવા મળ્યુ કે...સૉરી વડાપ્રધાન હમણા ફક્ત પત્રકારોને જ પ્રજાજોગ સંદેશ સંભળાવે છે એટલે બોલાઇ ગયુ! હા તો આપના વકીલ દ્વારા જાણવા મળ્યું કે તમે ડિમેંસિયાના શિકાર થયા છો.
કલમાડીજીઃ આ ડિમેંસિયા શું છે?
કિશોરઃ (ધીમેથી) લાગે છે સાચ્ચેજ ડિમેંસિયા વળગ્યો છે.
કલમાડીજીઃ તમે કંઇ કહ્યું?
કિશોરઃ ના-ના, હું કંઇ નથી બોલ્યો. તો હું એ પૂછી રહ્યો હતો કે તમને ક્યારે ખબર પડી કે તમને ભૂલવાની આ બીમારી ટૂંક મા તમારી યાદદાશ્ત જઇ રહી છે?
કલમાડીજીઃ મને નહી. દસ દિવસ પહેલા મારા વકીલે મને કહ્યુ કે ધીમે-ધીમે હું મારી યાદદાશ્ત ગુમાવી રહ્યો છુ.
કિશોરઃ પણ યાદદાશ્ત તો તમારી છે.. તો એમને કેમ ખબર પડી?
કલમાડીજીઃ શું અને કોને ખબર પડી?
કિશોરઃ ( ગણગણાટ કરતો હોય તેમ) લાગે છે સાચ્ચે જ વળગાટ છે.. નહી  હું પૂછતો હતો કે યાદ એ તો તમારી પોતીકી આઇ મીન પર્સનલ છે. તો પછી તમારા વકીલ ને કેવી રીતે ખબર પડી કે તમારી યાદદાશ્ત જઇ રહી છે.
કલમાડીજીઃ અરે! એમ પૂછી રહ્યા છો. તો થયુ એમ કે મેં મારા વકીલને ફી ના પૈસા માટે જે ચૅક આપ્યો તેમા તારીખ ખોટી લખી દીધી. તે જોઇને તેણે જ મને કહ્યુ કે હું ડીમેંસિયાનો શિકાર થયો છુ.
કિશોરઃ ખાલી તારીખની ભૂલ પરથી એમણે નિર્ણય પર પણ પહોંચી ગયા.
કલમાડીજીઃ કોણ પહોચી ગયુ?
કિશોરઃ એ જ , તમારા વકીલ.
કલમાડીજીઃ કયાં પહોંચી ગયા?
કિશોરઃ સાહેબ, તમે મારી વાત ના સમજ્યા. તમારી વાતથી તો એમ લાગી રહ્યુ છે કે તમે મરો ઇન્ટરવ્યુ લૈ રહ્યા છો! હું એમ કે'તો હતો કે ચૅક ઉપર ખોટી તારીખ લખવાથી જ વકીલસાહેબે માની લીધુ કે તમે ડિમેંસિયા ના શિકાર થઇ ગયા છો?
કલમાડીજીઃ હાસ્તો, એમ જ તો થયુ. આમ પણ વકીલો કંઇ પણ માની શકે છે અને કંઇ પણ મનાવી શકે છે.
કિશોરઃ એવો કોઇ અન્ય બનાવ કે તેના પરથી એમ લાગે કે તમે ડિમેંસિયા ના શિકાર થઇ ગયા છો.
કલમાડીજીઃ હું તો માનવા તૈયાર જ નો'તો. પણ વકીલે જ મને કહ્યુ કે હમણા બનેલા તાજા પ્રસંગે જ સાબિતી આપી છે કે હું ડિમેંસિયા ના શિકાર થઇ ગયો છું.
કિશોરઃ ક્યો બનાવ?
કલમાડીજીઃ વકીલસાહેબે જ યાદ અપાવ્યુ કે હુ તે દિવસે જેલરની ઑફિસમા બેઠા-બેઠા જે ચા-બિસ્કિટ અને ફરસાણ ખાતો હતો તે પણ ડિમેંસિયા ને કારણે જ થયુ હતુ.
કિશોરઃ એ કેવી રીતે?
કલમાડીજીઃ મારા વકીલનુ માનવુ છે કે ડિમેંસિયા ને કારણે જ તે દિવસે હું જેલરની ઑફિસને મારા ઘરનો દીવાનખંડ માની બેઠો.
કિશોરઃ પરંતુ મારા સાંભળવા મુજબ તમે જેલ મા રહીને જ તમારા એમ.પી. ફંડ નો વપરાશ કરી રહ્યા છો?
કલમાડીજીઃ હા..હા.. તે પરથી પણ મારા વકીલે સાબિત કરી દીધું કે હું સાચ્ચે જ ડિમેંસિયાનો શિકાર થયો છું.
કિશોરઃ એ કેવી રીતે?
કલમાડીજીઃ એક દિવસ વકીલ સાહેબે જ યાદ અપાવરાવ્યુ કે હું સાંસદ પણ છું અને મારુ કાયદેસરનું ભંડોળ પણ છે. અને તે ખરચાવા માટે પડ્યું છે. તેમના યાદ દેવરાવ્યા બાદ કે હું સાંસદ છું, મે પોતે ફંડ ખર્ચ કરવાનુ ચાલુ કર્યુ.
કિશોરઃ પણ મને તો લાગ્યુ કે આ ડિમેંસિયા એ તમારુ નાટક છે, સજાથી બચવા માટેનુ.
કલમાડીજીઃ જુઓ મિસ્ટર અરનબ ગોસ્વામી, તમે મારી ઉપર આવો આરોપ લગાવીને ભૂલ કરી રહ્યા છો. હું તમને ચેતવણી આપુ છુ કે વધારે એક વાર પણ તમે વધારે કંઇ આ વિશે કહ્યુ છે તો હું તમારી અને તમારા ટાઇમ મૅગેઝિન પર ડિફેમેશન(બેઇજ્જતી-માનહાની)નો દાવો કરીશ.
કિશોરઃ સાહેબ, હું અરનબ ગોસ્વામી નથી, હું કિશોર કલમદાર છુ, અને તમને જણાવી દઊં કે  તે ટાઇમ મૅગેઝિન નહી પણ ટાઇમ્સ નાઉ ચેનલ પર કામ કરે છે.
કલમાડીજીઃ અરે જુઓ તો! હું તો સાવ ભૂલી જ ગયો. આ ડિમેંસિયાની જ અસર લાગે છે.
કિશોરઃ શું તમારા વકીલ ને લાગે છે કે તમારી ડિમેંસિયા વાળી વાત ખરેખર મજબૂત લાગે છે?
કલમાડીજીઃ શું મજબૂત લાગે છે?
કિશોરઃ હું પૂછતો હતો કે આ ડિમેંસિયા વાળી વાત તમે અને તમારા વકીલ સાબિત કરી શકશો?
કલમાડીજીઃ હા કેમ નહી વળી? ખરેખર મારી ખરાબ યાદદાશ્ત અને મારા વકીલની મજબૂત યાદ ના  જોરે મારા વકીલ પાછા ૨૦૦૯-૧૦ મા ગયા. અને મને યાદ અપાવરાવ્યુ કે રમતગમત મંડળ ના અધ્યક્ષ પદે હોવા છતા મે સમયસર તૈયારી કરી નહી. ખરેખર હું ભૂલી જતો હતો કે મારે તૈયારી પણ કરવાની છે. પછી તેમણે યાદ અપાવરાવ્યુ કે ઇંડીયન હાઇ કમીશનના ડોક્યુમેંટ ફોર્જ કરવા છતા મે લોકો ને કહ્યુ કે મે પોતે ડોક્યુમેંટ ફોર્જ નથી કર્યા. આ ડિમેંસિયાની જ અસર હતી. પછી તેમણે યાદ અપાવરાવ્યુ કે બધા નિર્ણયો મેં પોતે જ લીધા હતા પરંતુ યાદદશ્ત નબળી હોવાને કારણે મેં દરબારી, મહેન્દ્રુ વગેરેને ફસાવી દીધા. છેલ્લે તેમણે કહ્યુ કે મારી ઉપર ડિમેંસિયાનો કૅસ તો લાગુ પડે છે.
કિશોરઃ એટલે કે તમારી તૈયારી પાકી છે?
કલમાડીજીઃ હા અમારી તરફથી તો પાકી જ છે, ચાલો અરનબ ભાઇ હવે ઇન્ટરવ્યુ પૂરો કરો, મારે હવે ફિલ્મ જોવુ છે. વકીલ આ સી.ડી આપી ગયા છે અને જોવા કહ્યુ છે! હા તમારા ટાઇમ મૅગેઝિન ના જે અંકમા આ છપાય તેની એક નકલ મોકલાવવાનુ ભુલતા નહી.
કિશોરઃ અરે તમને ફરી થી કહુ છું કે હું અરનબ ગોસ્વામી નથી, હું કિશોર કલમદાર છુ, અને તે ટાઇમ મૅગેઝિન નહી પણ ટાઇમ્સ નાઉ ચેનલ પર કામ કરે છે.
કલમાડીજીઃ વકીલ સાહેબનુ કહેવુ યોગ્ય જ છે કે મને હકીકતમા ડિમેંસિયાની જ અસર છે. ઠીક છે હવે તમે જઓ મરે ફિલ્મ જોવી છે.
કિશોરે સી.ડી. હાથમા લઇ ને જોઇ, તે આમીરખાન ની ગજીની પિક્ચરની સી.ડી. હતી. આ બાજુ કલમાડીજી ગજીની એન્જૉય કરવા લાગ્યા અને કિશોર જેલની બહાર.....

THIS IS THE TRANSLATION OF HINDI HUMORIST SHREE SHIVKUMAR MISHRA'S BLOG POST. HIND LANGUAGE LOVERS GET IT ORIGINAL HERE..


4 ટિપ્પણીઓ: